written by Khatabook | February 4, 2022

કેન્દ્રીય બજેટ 2022 વિશેની 10 બાબતો તમારે જાણવી જરૂર

×

Table of Content


ફેબ્રુઆરી અને માર્ચમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ અને ગયા વર્ષે નવેમ્બરમાં કૃષિ કાયદાઓ રદ થવાના વિષયોની વચ્ચે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. દેશમાં વધુ ચાર રાજ્યોમાં ચૂંટણી થવાની છે અને દેશ ઓમિક્રોન જેવા ભયાનક રોગચાળા વચ્ચે ધીમી આર્થિક રિકવરી સાથે લડે રહ્યો છે.

મોદી સરકારના બીજા કાર્યકાળના ચોથા બજેટમાં સીતારમણે કહ્યું કે, કેન્દ્રીય બજેટ આગામી 25 વર્ષ સુધી ભારતના આર્થિક વિકાસ અને વિસ્તરણનો પાયો નાખશે. શિક્ષણ, ડિજિટલ ફાઇનાન્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, સોલાર એનર્જી અને ઇવીમાં ફાળવણીમાં વધારા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, મેટલ્સ, સોલર એનર્જી, સિમેન્ટ અને કન્સ્ટ્રક્શન જેવા સેક્ટર આ વર્ષના બજેટમાં સ્પષ્ટ વિજેતાઓ રહ્યા. હેલ્થકેર સેક્ટર પણ 2022ના બજેટનો મહત્વનો ભાગ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે જાહેર ક્ષેત્રની બેંકો, કોલસો, થર્મલ પાવર, સ્ટીલ અને ઓટોમોબાઈલ સેક્ટરનો આ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

સીતારમને તેમના અત્યાર સુધીના સૌથી ટૂંકા બજેટ ભાષણમાં, વધતાં જતાં ફુગાવા અને ઉચ્ચ અપેક્ષાઓ વચ્ચે વૃદ્ધિને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. દેશને રોગચાળાથી ઘણો મોટો ફટકો પડ્યો, જેમાં વધતી બેરોજગારી અને ઊંડી અસમાનતાઓ સાથે નાના ઉદ્યોગો સંઘર્ષ કરતા હતા. આયાતી ચીજવસ્તુઓ પર કૃષિ સેસ, ઇલેક્ટ્રોનિક્સ પરની કસ્ટમ ડ્યુટીમાં વધારો અને રસાયણો, હીરા અને કિંમતી રત્નો પરના ઘટાડાની સાથે પ્રત્યક્ષ કર યથાવત રાખવામાં આવ્યો હતો.

નાણાંમંત્રીએ વૃદ્ધિને ટેકો આપવા અર્થતંત્રનો વાર્ષિક ખર્ચ વધારીને 39.5 ટ્રિલિયન રૂપિયા (US$529 બિલિયન) કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને 2026 સુધીમાં ભારત US$5 ટ્રિલિયન અર્થતંત્ર બનશે તેવી આગાહી કરી.

બજેટ સમજાવ્યું - 10 મુખ્ય બાબતો નાણાંમંત્રીના બજેટ ભાષણમાંથી

કેન્દ્રીય બજેટ 2022-2023માંથી તમારે જાણવાની જરૂર છે તે 10 સૌથી મહત્વપૂર્ણ બાબતો અહીં છે:

1. અર્થતંત્ર અને ખર્ચ

નાણાકીય વર્ષ 2023 માટે મૂડી ખર્ચમાં સરકારી ખર્ચમાં ₹7.5 લાખ કરોડની ફાળવણી સાથે વધારો જોવા મળ્યો જે GDPના લગભગ 2.9% છે. આ લક્ષ્યાંક ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 35.4% વધ્યો છે.

નાણાકીય વર્ષ 2023 માટે મૂડી ખર્ચ (કેપેક્સ) ₹10.7 લાખ કરોડનો અંદાજ છે.

નાણાકીય વર્ષ 2022-23 માટે GDPના 6.4% ની રાજકોષીય ખાધનો અંદાજ છે, ગત નાણાંકીય વર્ષ 2021-22 માટે ખાધ GDPના 6.9% હતું. નાણાકીય વર્ષ 2026 માટે 4.5%નો રાજકોષીય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

નાણાંમંત્રી સીતારમણે વ્યાજમુક્ત લોનના રૂપમાં નાણાકીય વર્ષ 2023 માં કેપેક્સ માટે રાજ્યોને ₹1 લાખ કરોડની નાણાકીય સહાયમાં મોટો વધારો કરવાની પણ જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2022 માં આ આંકડો ₹15,000 કરોડ હતો.

2. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું પ્રોત્સાહન મળ્યું

PM ગતિશક્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા અને આર્થિક વૃદ્ધિને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં 7 એન્જિનો જેમકે - રોડ, રેલ્વે, એરપોર્ટ, બંદરો, સામૂહિક પરિવહન, જળમાર્ગો અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પરિવર્તનશીલ અભિગમનો સમાવેશ થાય છે.

આ એન્જિનોને એનર્જી ટ્રાન્સમિશન, આઈટી કોમ્યુનિકેશન, બલ્ક વોટર અને સીવરેજ અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોની ભૂમિકા દ્વારા ટેકો આપવામાં આવશે. નાણાકીય વર્ષ 2023માં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક 25,000 કિમી સુધી વિસ્તરણ કરવામાં આવશે. સાથે-સાથે જાહેર સંસાધનોને સપ્લીમેન્ટરી બનાવવા માટે ધિરાણની નવીન રીતો દ્વારા ₹20,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

3. રેલ્વે અને પરિવહન

રેલ્વે બજેટ જે પહેલા અલગથી જાહેર કરવામાં આવતું હતું તે 2016માં કેન્દ્રીય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું હતું. ₹1,40,367.13 કરોડની ફાળવણી સાથે રેલ્વે બજેટમાં વિજેતા પુરવાર થયું છે.

બજેટમાં 400 વંદે ભારત ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી, જે આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં શરૂ કરવામાં આવશે. સાથે રેલ્વે ક્ષેત્રમાં 100 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પણ ઉમેરવામાં આવશે જે આગામી ત્રણ વર્ષમાં વિકસાવવામાં આવશે.

નાણાંમંત્રીએ વર્ષ 2023 સુધીમાં બ્રોડગેજ રૂટના 100% વિદ્યુતીકરણનો પણ ઉલ્લેખ કર્યો છે.

સ્થાનિક વ્યવસાયો અને સપ્લાય ચેનને મદદ કરવા માટે વન-સ્ટેશન-વન પ્રોડક્ટ પ્લાનની જાહેરાત કરવામાં આવી હતી. રેલ્વે નાના ખેડૂતો અને SMEs માટે નવા ઉત્પાદનો અને કાર્યક્ષમ લોજિસ્ટિક સેવાઓ તેમજ પોસ્ટલ અને રેલ્વે નેટવર્કના એકીકરણને સીમલેસ સોલ્યુશન્સ પ્રદાન કરશે.

4. ડિજિટલ થઈ રહ્યું છે શિક્ષણ

2022 ના બજેટે વિશ્વ-કક્ષાની ડિજિટલ યુનિવર્સિટી દ્વારા ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું કારણ કે શિક્ષણ સંબંધિત બધી પહેલ માટે 'ડિજિટલ' થીમ રહી હતી.

છેલ્લા 2 વર્ષથી કરોડો બાળકો પર કોવિડ રોગચાળાની અસર અને ઔપચારિક શાળાકીય શિક્ષણ ગુમાવતા હોવાનો સ્વીકાર કરતાં, નાણાંમંત્રીએ પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપતા, હાલની 12 શૈક્ષણિક ટેલિવિઝન ચેનલોમાંથી પ્રધાનમંત્રી ઇ-વિદ્યા યોજનાને 200 સુધી વિસ્તરણ કરવાની જાહેરાત કરી.

કૃષિ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૌશલ્ય અભ્યાસક્રમોની પણ જાહેરાત કરવામાં આવી હતી.

5. આવકવેરાના દરો યથાવત

GST કલેક્શન ₹1.38 લાખ કરોડના રેકોર્ડ ઊંચા સ્તરે હતું, જે ભારતમાં GST સિસ્ટમ શરૂ થયા પછી સૌથી વધુ છે. નાણાપ્રધાને જાહેર કર્યું કે સર્ચ અને જપ્તી કામગીરી દરમિયાન શોધી કાઢવામાં આવેલી અઘોષિત આવક પર કોઈપણ પ્રકારના નુકસાનની મંજૂરી આપવામાં આવશે નહીં.

જો કે, પગારદાર વર્ગ માટે કોઈ કર સુધારા કરવામાં આવ્યા નથી. વિવિધ ક્ષેત્રોની માંગણીઓ છતાં વ્યક્તિગત આવકવેરાનું માળખું યથાવત રહ્યું છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, કરદાતાઓ સંબંધિત નાણાંકીય વર્ષના 2 વર્ષની અંદર અપડેટેડ ITR ફાઇલ કરી શકે છે.TDS નિયમોમાં થયેલ ફેરફારએ, 1 વર્ષ માટે પણ ITR ફાઈલ ન થવાથી TDS વધુ થઈ શકે છે.

જો કે, ડિજિટલ એસેટ્સ મેળવનાર પર 30%ના ઊંચા દરે ટેક્સ લાગશે. નિષ્ણાતો જેને "ક્રિપ્ટો ટેક્સ" કહી રહ્યા છે જ્યાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના ટ્રાન્સફર પર પ્રાપ્તકર્તાને અંતે 30% ટેક્સ લાગશે.

6. ખેતી અને ખેડૂતો પર ધ્યાન

ખેડૂતો માટે ₹2.37 લાખ Cr MSP (લઘુત્તમ ટેકાના ભાવ)ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટેક્નોલોજીનો ઉપયોગ, ગ્રીન એનર્જી અને કેમિકલ-મુક્ત ખેતીને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પાકની આકારણી, ડિજિટલ લેન્ડ રેકોર્ડને પ્રોત્સાહન આપવા, ડાંગરની ખરીદી અને જંતુનાશકોના છંટકાવ માટે કિસાન ડ્રોનની જાહેરાત પણ કરવામાં આવી હતી.

જેમ જેમ કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા, તેવી રીતે મોદી સરકાર માટે ‘સમાવેશક વિકાસ’ પ્રાથમિકતા રહી હતી. કૃષિ સ્ટાર્ટઅપ્સ અને ગ્રામીણ સાહસોને નાણાં પૂરા પાડવા માટે, નાબાર્ડ દ્વારા સહ-રોકાણ મોડલ હેઠળ એકત્ર કરાયેલ મિશ્ર મૂડી સાથેનું ભંડોળ સરકાર દ્વારા સુવિધા આપવામાં આવશે.

7. બેન્કિંગ અને ECLGS નું વિસ્તરણ

બધીજ પોસ્ટ ઓફિસો કોર બેન્કિંગ સિસ્ટમ હેઠળ આવવાની છે. બજેટમાં RBI દ્વારા ડિજિટલ કરન્સીની પણ જાહેરાત કરવામાં આવી હતી. જે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નાણાકીય વર્ષ 2023માં લોન્ચ કરવામાં આવશે.

નાણાંમંત્રીએ અનુસૂચિત વ્યાપારી બેંકો દ્વારા 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ એકમોની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી. બજેટમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS)ને 31 માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે. વધુમાં, ECLGS માટે ગેરંટી કવર પણ ₹50,000 કરોડથી વધારીને કુલ ₹5 લાખ કરોડ કરવામાં આવશે. વધારાની રકમ હોસ્પિટાલિટી અને સંબંધિત સેક્ટર પર કેન્દ્રિત કરવામાં આવશે.

માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ (CGTMSE) માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ (CGTMSE) ને SME માટે ₹2 લાખ કરોડની વધારાની ધિરાણ પૂરું પાડતા ભંડોળ સાથે ઇન્ફ્યુઝ કરવામાં આવશે, આમ રોજગારીની તકો વિસ્તરી શકશે. નાદારી અને નાદારી કોડ (IBC) માં પણ ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી.

8. ગોઇંગ ગ્રીન - સોલર એનર્જી અને ઇવી બેટરી

સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર મોડ્યુલના ઉત્પાદન માટે PLI સ્કીમ હેઠળ ₹19,500 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું.

ખાનગી કંપનીઓને સ્વેપિંગ મોડલ કરવા પ્રોત્સાહિત કરવાની સાથે સ્કેલ પર ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની મંજૂરી આપવા માટે બેટરી સ્વેપિંગ નીતિ જાહેર કરવામાં આવી હતી. ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે સંસાધનો એકત્ર કરવા માટે ગ્રીન બોન્ડના મુદ્દાની જાહેરાત કરવામાં આવી હતી.

9. સ્ટાર્ટઅપ અને MSME એ પ્રાથમિકતા

MSMEs અને સ્ટાર્ટ-અપ્સ સુધી વિસ્તરેલા ઘણા લાભો સાથે, ડિજિટલ ઇકોસિસ્ટમ, ઉત્પાદન ક્ષેત્ર અને ઉદ્યોગો બજેટરી ફોકસ રહ્યા. વર્તમાન ત્રણ વર્ષની મુક્તિ ઉપરાંત કર લાભોમાં વધુ 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.

સ્ટાર્ટ-અપ્સને વિવિધ એપ્લિકેશનો દ્વારા અને ડ્રોન-એઝ-એ-સર્વિસ (DrAAS) માટે ‘ડ્રોન શક્તિ’ની સુવિધા આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે જેના માટે ITIમાં તેની સ્કિલ અપાશે.

દિલ્હી ભારતનું સ્ટાર્ટઅપ કેપિટલ બનવાની સાથે ભારતમાં હવે 61,400 થી વધુ સ્ટાર્ટઅપ્સ છે. જે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્ય છે. 2021-22માં ઓછામાં ઓછા 14,000 માન્ય સ્ટાર્ટઅપ ઉમેરવામાં આવ્યા હતા.

MSMEs પોર્ટલ જેમ કે Udyam, e-shram, NCS અને Aseem ને એકબીજા સાથે જોડવામાં આવશે અને તેમનો વ્યાપ વિસ્તારવામાં આવશે. આગામી 5 વર્ષ માટે રૂ. 6,000 કરોડની ફાળવણી સાથે MSME કામગીરીને વેગ આપવા માટે 5 વર્ષના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

10. આવાસ અને શહેરી આયોજન

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2022-2023માં નક્કી કરાયેલ લાભાર્થીઓ માટે 80 લાખ મકાનો સાથે ₹48,000 કરોડની ફાળવણી કરવામાં આવી. 2022-23માં 3.8 કરોડ પરિવારોને પાણીના જોડાણ આપવા માટે ₹60,000 કરોડની ફાળવણી કરવામાં આવી. શહેરી આયોજન માટે 5 હાલની શૈક્ષણિક સંસ્થાઓને ₹250 કરોડની ફાળવણી સાથે સેન્ટર ફોર એક્સલન્સ તરીકે નિયુક્ત કરવામાં આવશે. સરકારનો હેતુ શહેરી વિસ્તારોમાં જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાનો પણ છે.

સહકારી મંડળીઓ માટે લઘુત્તમ વૈકલ્પિક ટેક્સ 18% થી ઘટાડીને 15% કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો.

નવીનતમ અપડેટ્સ, ન્યૂઝ બ્લોગ્સ અને નાના, મધ્યમ વ્યવસાયો (MSME), વ્યવસાય ટિપ્સ, આવકવેરો, GST, પગાર અને એકાઉન્ટિંગ સંબંધિત લેખો માટે, Khatabook ને ફોલો કરો.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.