written by Khatabook | November 26, 2021

હિસાબ-કિતાબ વિશે જાણો: વ્યાખ્યા, પ્રકાર અને તેનું મહત્વ

×

Table of Content


જ્યારે ડેટા એકત્રિત કરવામાં આવે છે, ત્યારે તેને રિપોર્ટમાં મૂકવામાં આવે છે. તેવી જ રીતે, હિસાબ-કિતાબએ તમામ નાણાકીય નિવેદનોનો સ્ત્રોત છે જ્યાં વ્યવસાય માટે વ્યવસાયિક વ્યવહારોને રેકોર્ડ કરવામાં આવે છે. હિસાબ-કિતાબિએ ડેટા એકત્રિત કરવાની અને તેને રિપોર્ટ ફોર્મેટમાં રાખવાની પ્રક્રિયા છે. મહત્વપૂર્ણ નાણાકીય નિવેદનો નફો અને નુકસાન નિવેદન, બેલેન્સ શીટ અને ટ્રાયલ બેલેન્સ છે. આમ એવુ કહી શકાય કે હિસાબ-કિતાબનો અર્થ વ્યવહારોને રેકોર્ડ કરવા માટેની એકાઉન્ટિંગ પ્રક્રિયાની શરૂઆત છે. તેમાં નાણાકીય નિવેદનોનો સમાવેશ થાય છે. હિસાબ-કિતાબ રેકોર્ડ્સનો સારાંશ અને ચોક્કસ સમયગાળો દર્શાવે, જેમ કે ક્વાર્ટર, એક વર્ષ અથવા દોઢ વર્ષ સુધીના વ્યવહારો.

હિસાબ-કિતાબ (હિસાબીનીતિ) શું છે?

  • મોટા ભાગના લોકોને હિસાબમાં હિસાબ-કિતાબ શું છે તેનાથી અજાણ હોય છે. હિસાબ-કિતાબએ વ્યવસાય ચલાવવામાં થયેલા તમામ વ્યવસાયિક વ્યવહારોને ગોઠવવાની અને રેકોર્ડ કરવાની પ્રક્રિયા છે, જેથી એ હિસાબનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

  • આ સિવાય હિસાબ-કિતાબનો અર્થ થાય છે કે ચોક્કસ સમયગાળામાં કોઈપણ વ્યવસાયમાં થતા રોજિંદા વ્યવહારોનું નાણાકીય રેકોર્ડિંગ. તમામ નાણાકીય વ્યવહારો જેમ કે વેચાણમાંથી આવક, ચૂકવવામાં આવેલ કર, વ્યાજની કમાણી, સંચાલન ખર્ચ, વેતન અને ચૂકવેલ પગાર, લીધેલી લોન, કરવામાં આવેલ રોકાણ અને ઘણું બધું અલગ એકાઉન્ટ બુકમાં નોંધાવામાં આવે છે.

વ્યવસાયમાંહિસાબ-કિતાબ શા માટે જરૂરી છે?

આ જાણી લેવુ કે, 'કોઈ હિસાબ-કિતાબ બિન-હિસાબીની સમકક્ષ નથી'

હિસાબ-કિતાબની રેકોર્ડિંગ કોઈપણ સંસ્થાની સાચી અને સચોટ નાણાકીય સ્થિતિ નક્કી કરે છે. સંપૂર્ણ એકાઉન્ટિંગ પ્રક્રિયાનો ઉપયોગ એન્ટરપ્રાઇઝની બેલેન્સ શીટ જેવા મહત્વપૂર્ણ નાણાકીય નિવેદનો તૈયાર કરવા અને તેને રિપોર્ટ કરવા માટે થાય છે. આમ કોઈ કંપનીના વાર્ષિય વિવરણોમાં વધારો કરવા, લોન લેવા અથવા રિપોર્ટ કરતા પહેલાં એ મહત્વપૂર્ણ છે કે હિસાબ-કિતાબ અદ્યતન, સચોટ અને તમામ નાણાકીય વ્યવહારો કેપ્ચર કરે.

એટલા માટે નાના મોટા અને બધા જ વ્યવસાયો વચ્ચે હિસાબનો ઉપયોગ, જાળવણી અને રેકોર્ડ અને હિસાબ-કિતાબની પ્રથાઓ છે. હિસાબ-કિતાબના મહત્વને નીચે સંક્ષેપ્તમાં દર્શાવવામાં આવેલ છે.

  • હિસાબ-કિતાબ અને એકાઉન્ટિંગનો અર્થ એ છે કે સંસ્થાની ચૂકવણી, પ્રાપ્તિ, ખરીદ, વેચાણ વગેરેને ટ્રેક કરવું અને વ્યવસાયના સંચાલનમાં કરવામાં આવતી મૌખિક લેવડ-દેવડને રેકોર્ડ કરવું.
  • હિસાબ-કિતાબનો ઉપયોગ એક ચોક્કસ સમયે કે પછી સમય-સમય પર થઈ શકે છે, વિવિધ સામગ્રીઓ અને અન્ય એકાઉન્ટને રેકોર્ડ કરવા અને રિપોર્ટ કરવા માટે થાય છે.
  • હિસાબ-કિતાબએ મહત્વપૂર્ણ નાણાકીય રિપોર્ટ બનાવવા માટે માહિતી આપે છે, એ તેના માટે વિશેષ માહિતી આપે છે. આ સિવાય વ્યવસાય કેવી રીતે ચાલે છે, વ્યવસાયને કેવી રીતે શું ફાયદો થઈ રહ્યો છે વગેરે માટે ચોક્કસ માહિતી પુરી પાડે છે.

હિસાબ-કિતાબ કાર્યના ઉદાહરણો:

ચાલો હવે આપણે સંસ્થામાં થતાં બધા મૌદ્રિક લેવડ-દેવડને રેકોર્ડ કરવા અને ટ્રેક કરવા માટે જરૂરી હિસાબ-કિતાબના કાર્ય જોઈએ. જવાબદાર વ્યક્તિને એકાઉન્ટેન્ટ કહેવામાં આવે છે અને જે હિસાબ-કિતાબનું સંચાલન કરે છે, તેને યોગ્ય અને સચોટ રીતે રેકોર્ડ કરવા માટે, ઉદ્યોગમાં બધી જ રોકડને સંબંધિત લેવડ-દેવડ કરવા અને તેને ટ્રેક કરવાનું કામ સોપવામાં આવે છે. નીચે આપેલ કાર્ય હિસાબ કિતાબના વિશિષ્ટ ઉદાહરણ છે:

  • ગ્રાહકને ચૂકવણી અને રસીદ આપવી અને તેને રેકોર્ડ કરવી.

  • તમારા ગ્રાહકોને આપેલી સેવાઓ અને વસ્તુઓ માટે સચોટ બિલ આપવું.

  • સપ્લાયરની ચૂકવણીઓને રેકોર્ડ કરવી.

  • સપ્લાયરના ઈન્વૉઇસનું રેકોર્ડિંગ અને ચકાસણી કરવી.

હિસાબ-કિતાબનો હિસાબી સમયગાળો

જેમ કે હિસાબ-કિતાબએ સતત ચાલતી પ્રક્રિયા છે, હિસાબી સામાન્ય રીતે વાર્ષિક બાબત છે. પરંતુ પસંદ કરેલ એકાઉન્ટિંગ સમયગાળોએ વ્યવસાયનો અભિન્ન ભાગ છે અને તેની હિસાબી વ્યવસ્થામાં અસર થાય છે. મોટાભાગની પેઢીઓ તેમના હિસાબી પુસ્તકો 1લી એપ્રિલના રોજ શરૂ કરે છે અને પછીના વર્ષમાં 31મી માર્ચે તેમના પુસ્તકો બંધ કરે છે. જેને બેંકોમાં એકાઉન્ટિંગ વર્ષ, ભારતમાં એકાઉન્ટિંગ સિસ્ટમ્સ, ટેક્સ સિસ્ટમ્સ અને નાણાંકીય વર્ષ કહેવામાં આવે છે. જો કે બહેરીન, UAE, સાઉદી અરેબિયા જેવા દેશો 1લી જાન્યુઆરીથી એકાઉન્ટિંગ વર્ષની શરૂઆત કરે છે અને 31મી ડિસેમ્બરના રોજ તેમનું એકાઉન્ટિંગ વર્ષ પૂરું થાય છે.

હિસાબ-કિતાબના પ્રકારો:

અહીં બે પ્રકારની હિસાબ-કિતાબની સિસ્ટમ્સ છે, જે છે:

  • સિંગલ એન્ટ્રી સિસ્ટમ
  • ડબલ-એન્ટ્રી સિસ્ટમ

વ્યવસાયિક સંસ્થાઓ તેમને ગમતું હિસાબ-કિતાબ સિસ્ટમ પસંદ કરવા માટે સ્વતંત્ર છે. કેટલાક વ્યવસાયો હિસાબ-કિતાબના બંને પ્રકારના એકાઉન્ટિંગ સિસ્ટમ્સના સંયોજનનો ઉપયોગ કરતા હોય છે.

ચાલો આપણે ઉપયોગમાં લેવાતી બે પ્રકારની સિસ્ટમો જોઈએ:

  • સિંગલ-એન્ટ્રી સિસ્ટમ માટે એ જરૂરી છે કે સિંગલ એન્ટ્રી રેકોર્ડ એકાઉન્ટ બુકમાં દરેક વ્યવહારનું પ્રતિનિધિત્વ કરે. જેથી તેને સિંગલ-એન્ટ્રી હિસાબ-કિતાબ સિસ્ટમ કહેવામાં આવે છે. જ્યાં દરેક નાણાં વ્યવહાર અથવા નાણાકીય પ્રવૃત્તિમાં માત્ર એક જ રેકોર્ડની એન્ટ્રી હોય છે. આ સિસ્ટમ ખૂબ જ બેજીકની છે. ઉદાહરણ તરીકે કોઈ કંપની નાણાકીય વ્યવહારો રેકોર્ડ કરવા માટે દૈનિક રસીદોનો ઉપયોગ કરે છે અને પછી તેના હિસાબ માટે તેનો સાપ્તાહિક અને દૈનિક રેકોર્ડ જનરેટ કરે છે.

  • ડબલ-એન્ટ્રી હિસાબ-કિતાબ સિસ્ટમ માટે એ જરૂરી છે કે ટ્રાન્ઝેક્શનમાં દરેક મની ટ્રાન્ઝેક્શન માટે ડબલ એન્ટ્રી હોય. આ પ્રકારની એકાઉન્ટિંગ અને હિસાબ-કિતાબની સિસ્ટમ વધુ સારી ચોકસાઈ પ્રદાન કરે છે અને તમે ચોકસાઈ માટે ડબલ-એન્ટ્રી સિસ્ટમનો ઉપયોગ કરીને એન્ટ્રીઓને તપાસી અથવા સંતુલિત કરી શકો છો. તે ડબલ-એન્ટ્રી સિસ્ટમ હોવાથી, દરેક ડેબિટમાં સાથે ક્રેડિટ એન્ટ્રી પણ હશે. જો કે તે રોકડ આધારિત નથી અને સિસ્ટમ એન્ટિટીની નાણાકીય સ્થિતિને અસર કરતી નથી. જ્યારે પણ આવક થાય છે અથવા દેવું થાય છે ત્યારે તેના વ્યવહારો રેકોર્ડ કરવામાં આવે છે.

એક્રુઅલ હિસાબ-કિતાબ:

એક્રુઅલ સિસ્ટમ પણ કહેવાય છે, જ્યારે પણ ચુકવણી પ્રાપ્ત થાય અથવા કરવામાં આવે ત્યારે રોકડ-આધારિત એકાઉન્ટિંગ સિસ્ટમ નાણાકીય વ્યવહારો રેકોર્ડ કરે છે. સિસ્ટમ એકાઉન્ટિંગ સમયગાળામાં થયેલી આવક અથવા આવકના રેકોર્ડની તપાસ કરે છે કે તે ક્યારે પ્રાપ્ત થઈ હતી, અને જ્યારે તે ચૂકવવામાં આવી ત્યારે ખર્ચના રેકોર્ડની તપાસ કરે છે. એકાઉન્ટિંગ સિદ્ધાંતો તેની તરફેણ કરે છે કારણ કે તે તેના પુસ્તકોમાં એકાઉન્ટિંગ સમયગાળાની આવક અને ખર્ચને ચોક્કસ રીતે રેકોર્ડ કરે છે.

હિસાબ-કિતાબના સિદ્ધાંતો:

બુકમાં રાખવાના સિદ્ધાંતો નાણાકીય વ્યવહારો પર લાગુ કરવામાં આવે છે જેથી કરીને તે વ્યવસ્થિત અને સારી રીતે રેકોર્ડ કરવામાં આવે. હિસાબ-કિતાબ અને એકાઉન્ટિગમાં નીચેના સિદ્ધાંતોનો ઉપયોગ એ સુનિશ્ચિત કરે છે કે એકાઉન્ટન્ટ હંમેશા આ મૂલ્યોને સાચા મૂલ્યો તરીકે લઈ શકે છે કારણ કે રેકોર્ડ-કીપિંગને પ્રમાણિત કરવાની જરૂર છે.

જે હિસાબી નિયમો લાગુ કરવામાં આવે છે તે નીચે દર્શાવેલ છે.

  • ખર્ચનો સિદ્ધાંત: આ સિદ્ધાંત જણાવે છે કે જ્યારે પણ વ્યવસાય સપ્લાયર પાસેથી સેવાઓ અથવા માલ મેળવે છે ત્યારે ખર્ચ થવાનું કહેવાય છે અને તેની નોંધ કરવી જરૂરી છે.
  • મહેસૂલ સિદ્ધાંત: આનો અર્થ એ છે કે આવકને હિસાબી પુસ્તકોમાં વેચાણની જગ્યા પર નોંધવામાં આવે છે.
  • મેચિંગ સિદ્ધાંત: આ સૂચવે છે કે જ્યારે તમે આવક રેકોર્ડ કરો છો ત્યારે તમે સંબંધિત ખર્ચ રેકોર્ડ કરો છો. આમ જો વેચાયેલ માલ આવક મેળવે છે, તો ઈન્વેન્ટરીએ એકસાથે વેચાયેલ માલ દર્શાવવો આવશ્યક છે.
  • ઉદ્દેશ્યનો સિદ્ધાંત: આ સિદ્ધાંતમાં તમને હકીકતલક્ષી, ચકાસી શકાય તેવા ડેટાનો જ ઉપયોગ કરવા માટે આપે છે, વ્યક્તિલક્ષી ડેટાનો નહીં.
  • કિંમત સિદ્ધાંત: આ સિદ્ધાંત જણાવે છે કે તમે હંમેશા ઐતિહાસિક કિંમતનો ઉપયોગ કરો છો, એકાઉન્ટિંગમાં પુનર્વેચાણ કિંમતનો નહીં.

રેકોર્ડિંગ હિસાબ-કિતાબની એન્ટ્રીઓ:

હિસાબ-કિતાબમાં એન્ટ્રીઓ કરવાથી પૈસાની લેવડ-દેવડ રેકોર્ડ કરવામાં મદદ મળે છે. જો કે, આજે જર્નલ એન્ટ્રીઓ બનાવવા માટે પદ્ધતિ ઘણી પ્રચલિત છે. ટેકનોલોજીના કારણે એકાઉન્ટિંગ સોફ્ટવેર ઘણા બધા છે જે પ્રક્રિયાને સંચાલિત કરે છે. અગાઉ દરેક વખતે જ્યારે કોઈ વ્યવહાર થાય ત્યારે એકાઉન્ટન્ટ્સે મેન્યુઅલી તમામ વ્યવહારો, એકાઉન્ટ નંબર, વ્યક્તિગત ક્રેડિટ અથવા ડેબિટ દાખલ કરવા પડતા હતા. આ પ્રક્રિયા સમય માંગી લે તેવી છે, અને માનવીય ભૂલો ગમે ત્યારે આવી શકે છે. હાલમાં, ખાસ એન્ટ્રીઓ અથવા એડજસ્ટમેન્ટ એન્ટ્રીઓ કરવાની જરૂર હોય ત્યારે જ હિસાબ-કિતાબની એન્ટ્રીઓ જાતે જ દાખલ કરવામાં આવે છે. મોટા ભાગના વ્યવસાયો જેમને મેનેજ થઈ શકે છે તેઓ Tally ERP9 અથવા Tally Prime જેવા હિસાબી સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. નાની સંસ્થાઓ તેમના સ્માર્ટફોનમાંથી તેમના હિસાબ-કિતાબને ટ્રેક કરવા અને રેકોર્ડ કરવા માટે Khatabook સોફ્ટવેર જેવા ઓટોમેટેડ હિસાબી સોફ્ટવેરનો પણ ઉપયોગ કરી શકે છે.

દસ્તાવેજીકરણ અને એન્ટ્રીઓને પોસ્ટ કરવી:

એકાઉન્ટિંગ સિસ્ટમમાં, હિસાબી વ્યાખ્યાનો અર્થ એ છે કે એન્ટરપ્રાઇઝના તમામ નાણાકીય વ્યવહારો સંબંધિત ખાતાવહીમાં પોસ્ટ કરવામાં આવે છે. આ ખાતાવહીઓ ઈન્વોઇસ, રસીદો, બિલો અને દસ્તાવેજોના અન્ય સ્વરૂપોના ડેટાનો ઉપયોગ કરે છે. આમ, ખાતાવહી નાણાંના વ્યવહારોને રેકોર્ડ કરે છે અને રેકોર્ડ આપે છે. એકાઉન્ટન્ટ દ્વારા દરેક ટ્રાન્ઝેક્શનને પોસ્ટ કરવા, દસ્તાવેજીકરણ અને રેકોર્ડ કરવાની મેન્યુઅલ એન્ટ્રી સિસ્ટમથી વિપરીત, આધુનિક જમાનાના એકાઉન્ટિંગ સોફ્ટવેર રોજિંદા વ્યવહારોને વિવિધ રેકોર્ડ ફોર્મ્સ, લેજર્સ વગેરેમાં આપમેળે પોસ્ટ કરે છે. જેથી તે વધુ સચોટ રહે છે અને માનવીય ભૂલોને દુર કરે છે.

મોટાભાગના વ્યવસાયો નાણાકીય વ્યવહારોના દૈનિક પોસ્ટિંગને પસંદ કરે છે. છતાં અન્ય લોકો સાપ્તાહિક અથવા માસિક બેચ પોસ્ટિંગ સિસ્ટમ પસંદ કરી શકે છે. તેમ છતાં, અન્ય લોકો તેમની રેકોર્ડિંગ અને પોસ્ટિંગ પ્રક્રિયાને વ્યાવસાયિક એકાઉન્ટન્ટ્સને આઉટસોર્સ કરે છે. દરરોજ આવી પોસ્ટિંગ પ્રવૃત્તિ કરવાનું સૌથી મહત્વનું કારણ એ છે કે વ્યવસાયના રેકોર્ડ્સ વધુ સચોટ રહે છે. જ્યારે પણ જરૂર હોય ત્યારે અહેવાલો અથવા નાણાકીય નિવેદનો સરળતાથી કાઢી શકાય છે અને તે વધુ સચોટ પણ હોય છે.

વાઉચર્સ, ફાઇલો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અને કરવેરા હેતુઓ માટેની રસીદોની જાળવણી માટે દરેક વ્યવસાયના હિસાબી પ્રક્રિયામાં નાણાકીય વ્યવહારોનું દસ્તાવેજીકરણ એક નિર્ણાયક એલિમેન્ટ છે. ઘણા વ્યવસાયો તેમની સગવડતા માટે 1લી એપ્રિલથી 31મી માર્ચનો હિસાબી વર્ષ તરીકે ઉપયોગ કરે છે. એકાઉન્ટિંગ સમયગાળો સામાન્ય રીતે કંપનીની નીતિ, કરવેરા માટેની તેની આવશ્યકતાઓ વગેરે પર આધાર રાખે છે. ધ્યાન રાખો કે GST કરવેરા નિયમો આદેશ આપે છે કે તમે એકાઉન્ટિંગ વર્ષ તરીકે ઉપરોક્ત સિસ્ટમનું પાલન કરો. તે વધુમાં આદેશ આપે છે કે એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી GST સુસંગત હોવી જોઈએ.

એકાઉન્ટ ચાર્ટ પર હિસાબ-કિતાબની અસર:

  • હિસાબ-કિતાબએ જાળવવામાં મદદ કરે છે જેને મૂળ એન્ટ્રીના પુસ્તકો કહેવામાં આવે છે અને તે નાણાકીય વ્યવહારો રેકોર્ડ કરવાની કળા છે. એ બધા વ્યવહારોને કેપ્ચર કરે છે જે નાણાંકીય પ્રકારના હોય છે, જેમાં નાણાંનું ટ્રાન્સફર અને મૂળ રેકોર્ડના આ પુસ્તકોમાં માલ અથવા સેવાઓ તરીકે નાણાંની કિંમત મેળવવાનો સમાવેશ કરવામાં આવે છે.

  • હિસાબ-કિતાબના વ્યવસાયિક કામગીરીના સંબંધિત નાણાકીય ડેટાને કાલક્રમિક અને વ્યવસ્થિત રીતે વર્ગીકૃત કરવા અને રેકોર્ડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજી તરફ એકાઉન્ટિંગએ એક ખૂબ જ મોટો વિષય છે જેમાં હિસાબ-કિતાબ એક અભિન્ન અંગ છે. એ વધુ જટિલ કામગીરી છે જે ફક્ત રેકોર્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ હિસાબ-કિતાબના રેકોર્ડ્સ અથવા એકાઉન્ટ બુક્સમાંથી મેળવેલા નાણાકીય નિવેદનો અને વ્યવસાયની સ્થિતિનું અર્થઘટન, વિશ્લેષણ અને ડ્રો કરવા માટે હિસાબી રેકોર્ડ્સને સમજવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.

  • હિસાબ-કિતાબની સૌથી વ્યાપક રીત દરેક પ્રકાર અને નાણાકીય વ્યવહારોના વિસ્તાર માટે વ્યાપક રેકોર્ડ બનાવવાનો છે. પછી ખાતાઓને નાણાકીય નિવેદનમાં જરૂરી વ્યાપક હેડ હેઠળ જૂથબદ્ધ અને વર્ગીકૃત કરી શકાય છે. આમ, એકાઉન્ટિંગ સિસ્ટમ અને હિસાબ-કિતાબ જેટલો સારો હશે, નાણાકીય નિવેદનો અને નાણાકીય અહેવાલો વધુ સચોટ રહેશે.

બધા જ વ્યવસાયો માટે જરૂરી અને જાળવવામાં આવતા લાક્ષણિક નાણાકીય નિવેદનો આ પ્રકારે છે:

  • ટ્રાયલ બેલેન્સ એ સંપતિ સામે દેવાદારોની ચોક્કસ સ્થિતિ દર્શાવે છે.

  • બેલેન્સ શીટ, જે મૂડી, ઈક્વિટી, જવાબદારીઓ, સંપતિ, સ્ટોક હોલ્ડિંગ્સ વગેરે દર્શાવે છે.

  • નફો અને નુકસાન ખાતું બિન-ઓપરેટિંગ અને ઓપરેટિંગ, નુકસાન, નફો, ખર્ચ વગેરે આવક દર્શાવે છે.

નિષ્કર્ષ:

આ લેખમાં અમે હિસાબ-કિતાબને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય અને દરેક નાના કે મોટા વ્યવસાયો માટે હિસાબ-કિતાબ શા માટે જરૂરી છે તેની ચર્ચા કરી. વ્યવસાયના નાણાકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વપરાતા વાસ્તવિક નાણાકીય નિવેદનો એ નાણાંકીય નિવેદનો છે જેનો ઉપયોગ હિસાબ-કિતાબને રેકોર્ડ્સ કરવા માટે ડેટા તરીકે થાય છે. જેથી, વ્યવસાયની સતત વૃદ્ધિ જાળવવા માટે સચોટ સિસ્ટમ હોવી જરૂરી છે. શું તમે જાણો છો કે Khatabook એ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) જેવા તમામ વ્યવસાયો માટે હિસાબ-કિતાબની એક ઉત્તમ ઓટોમેટિક રીત છે? તમારા સ્માર્ટફોન પર તેની વિશેષતાઓની તપાસ કરો અને તરત જ તમારા નાણાકીય નિવેદનો મેળવો.

વારંવાર પૂછાતા પ્રશ્ન:

1. હિસાબ-કિતાબાની 2 પદ્ધતિના પ્રકારો ક્યાં છે?

સિંગલ-એન્ટ્રી અને ડબલ-એન્ટ્રી હિસાબી સિસ્ટમ્સમાં આ બે સૌથી લોકપ્રિય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર આ બંનેની સાથેની સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એકાઉન્ટિંગમાં સંસ્થાની જરૂરિયાતો માટે કઈ સિસ્ટમ સૌથી યોગ્ય છે તેના પર હિસાબ-કિતાબ પદ્ધતિની પસંદગી આધાર રાખે છે.

2. એકાઉન્ટન્ટનું કામ શું હોય છે?

એકાઉન્ટન્ટને વ્યવસાયના નાણાકીય વ્યવહારોને ટ્રેક કરવા અને રેકોર્ડ કરવાનું કામ સોંપવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે ખર્ચ, ખરીદી, વેચાણ વગેરેનો સમાવેશ થાય છે. મની-રેકોર્ડિંગ વ્યવહારો પ્રથમ સામાન્ય ખાતાવહી પર પોસ્ટ કરવામાં આવે છે, અને પછી ટ્રાયલ બેલેન્સ, બેલેન્સ શીટ વગેરે જેવા નાણાકીય નિવેદનો તૈયાર કરવા આ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે.

3. એકાઉન્ટન્ટ બનવુ શું મુશ્કેલ છે?

ના. આ સ્કિલ હિસાબ-કિતાબના સિદ્ધાંતોની પ્રેક્ટિસ પર આધારિત છે. એકવાર તમે અંતર્ગત ખ્યાલોને સમજી લો પછી હિસાબ-કિતાબએ એક સીધી અને સરળ પ્રક્રિયા છે.

4. હિસાબ-કિતાબ અને એકાઉન્ટિંગનો અર્થ સમજાવો.

હિસાબ-કિતાબએ વ્યવસાયિક કામગીરીના સંબંધિત નાણાકીય ડેટાને કાલક્રમિક અને વ્યવસ્થિત રીતે વર્ગીકૃત કરવા અને રેકોર્ડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતું કાર્ય છે. બીજી તરફ એકાઉન્ટિંગએ એક મોટો વિષય છે જેમાં હિસાબ-કિતાબએ એક અભિન્ન અંગ છે. એ વધુ જટિલ કામગીરી છે જે ફક્ત રેકોર્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ હિસાબ-કિતાબના રેકોર્ડ્સ અથવા એકાઉન્ટ બુક્સમાંથી મેળવેલા નાણાકીય નિવેદનો અને વ્યવસાયની સ્થિતિનું અર્થઘટન, વિશ્લેષણ અને ડ્રો કરવા માટે હિસાબી રેકોર્ડ્સને સમજવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.

5. હિસાબીબુકમાં મૂળ એન્ટ્રીનો અર્થ શું છે?

હિસાબ-કિતાબની પદ્ધતિએ મૂળ એન્ટ્રીને બુકમાં પોસ્ટિંગ વ્યવહારોનો ઉપયોગ કરે છે, જે ખાતાવહી, જર્નલ્સ અને એકાઉન્ટિંગ બુક છે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.